લાલ મરચાંના આ ફાયદાઓ વિશે સાંભળીને તમને જરૂર આશ્ચર્ય થશે.. જાણો તેના ફાયદાઓ….

નાના-મોટા દાંત દુખાવામાં ઘરેલૂ નુસ્ખાનો ઉપયોગ તો તમે બધાએ સાંભળ્યા હશે. પરંતુ શું તમે જાણો છો કે હાર્ટ એટેક જેવી ગંભીર સ્થિતિમાં પણ ઘણી વખત ઘરેલૂ નુસ્ખા કામ આવી શકે છે?  હાં, તાજેતરમાં એક સ્ટડી પ્રમાણે એવી વાત સામે આવી છે કે લાલ મરચાનું સેવન કરવાથી હાર્ટ એટેક જેવી ખતરનાક બિમારીઓને ટળી જાય છે.

એટલા માટે જ આજે અમે તમને આ લેખ દ્વારા લાલ મરચાં ના ફાયદાઓ વિષે જણાવવા ના છે, જે નીચે મુજબ દર્શાવવા માં આવ્યા છે, તો ચાલો જાણીએ તેના વિષે. બ્રિટનમાં થયેલ એક સંશોધન મુજબ મરચાં શરીરમાં કૅલરીઝ બાળવામાં મદદરૂપ સાબિત થયા છે.

મરચાંમાં રહેલ કેપ્સાસિન તત્વ ભૂખને ઘટાડે છે અને કૅલરીઝ બાળીને એનર્જીના લેવલને વધારે છે. લાલ મરચાંમાં વિટામિન સી પર્યાપ્ત માત્રામાં હોય છે. વિટામિન સી શરીરમાં બધા પ્રકારનો ખોરાક શોષણ કરવામાં મદદ કરે છે.આના સેવનથી મળમૂત્ર માં થતી સમસ્યાનું નિવારણ કરી શકાય છે.

જો ત્વચામાં કોઇપણ પ્રકારનો ચર્મ રોગ થાય તો આને વાપરવાથી આરામ મળે છે. શરીરની ખંજવાળ, ધાધર વગેરે થવાથી રાઈના તેલમાં લાલ મરચાનો પાવડર ગરમ કરીને કે પછી આ તેલને ઠંડુ કરીને ચાળણીથી ચાળીને આખા શરીર પર કે જ્યાં ખંજવાળ આવતી હોય ત્યાં લગાવવાથી ફાયદો થાય છે.

શોધ પ્રમાણે આ વાત જોવા મળી છે કે માત્ર ૧ લાલ મરચા માં કુલ મળીને ૯૦ હજાર સ્કોવિલ યુનિટ મળી આવે છે. જેનું સેવન કરવાથી ૫૦ ટકા હાર્ટ એટેક ના દર્દીનો જીવ બચાવી શકાય છે.

લાલ મરચા ઉપરાંત આ જરૂરી તત્વ સ્કૉચ બૉનેટ્સ, આફ્રીકન બર્ડ, હબનેરો, એલપીનો જેવી મરચામાં પણ મળી આવે છે. પરંતુ લાલ મરચામાં એનું પ્રમાણે યોગ્ય રીતે મળી આવે છે. જે દર્દીને હાર્ટ એટેક આવ્યો છે એને એક ગ્લાસ પાણીમાં ૧ ચમચી લાલ મરચાનો પાઉડર નાંખીને ઓગાળીને પીવડાવવાનો છે. એના માટે દર્દીનું ભાનમાં હોવું ખૂબ જ જરૂરી છે.

જો દર્દી ભાનમાં ના હોય તો એની જીભની નીચે તમે એક ચપટી લાલ મરચું રાખી શકો છો. એનાથી થશે એવું કે દર્દીના શરીરમાં લોહી પ્રવાહ કરવા લાગશે. આ ઘરેલૂ નુસ્ખાને અપનાવતી વખતે વધારે મોડું ના કરશો, સાથે સાથે દર્દીને હોસ્પિટલમાં લઇ જવાની તૈયારી પણ કરો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer