જાણો શા માટે પૂજામાં ગલગોટાના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે

દરેક લોકો એ વાત જાણો છો કે મંદિરોમાં કે કોઇ અન્ય જગ્યાએ પૂજા કરવા માટે તમે ગલગોટાના ફુલ અને તેની માળાનો ઉપયોગ કરો છો અને કહો છે કે ઘરમાં પણ જ્યારે કોઇ ધાર્મિક કાર્ય આયોજીત કરવામાં આવે તો ગલગોટાના ફુલથી બનેલી માળા લાવવામાં આવે છે, આ દરમિયાન ગુલાબના ફુલ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ ઓછા લોકો જાણે છે કે પૂજામાં ગલગોટાના ફુલનો ઉપયોગ કેમ કરવામાં આવે છે. આજે અમે એ વિશે વિગતે જણાવીશું.

૧. આમ તો અન્ય જેટલા ફુલ છે તેમાથી એક માત્ર ગલગોટાનું ફુલ છે જે તેના એક નાની પત્તીના સહારે ઉગે છે. કહેવામાં આવે છે કે તે આત્માની ખાસિયતને દર્શાવે છે કે કેવી રીતે આત્મા ક્યારેય મરતી નથી. તે બસ શરીર બદલે છે અને અલગ-અલગ રૂપમાં જીવિત થઇ જાય છે. આ કારણથી તેને સૌથી ખાસ માનવામાં આવે છે.

૨. કહેવામાં આવે છે કે ફુલની અગણિત પાંદડીઓ એક જ હીજના સહારે એક બીજા સાથે જોડાયેલી રહે છે. તે વ્યક્તિના એક સારા નેતાના ગુણને દર્શાવે છે કે કેવી રીતે એક સારા નેતા હજારો લોકોને સાથે રાખીને ચાલી શકે છે. આ કારણથી તેને ઘરમાં લાવવા શુભ માનવામાં આવે છે.

૩. કહેવામાં આવે છે કે પૌરાણિક ગાથાઓમાં લખ્યું છે કે ગલગોટાના ફુલ કેસરિયા રંગના હોય છે જે ત્યાગ અને મોહ-માયાથી દૂરી દર્શાવે છે. તેની સાથે જ તેની સૌથી મોટી ખાસ વાત એ છે કે ગલગોટાના ફુલ મનુષ્યના અહંકારને ઓછો કરી દે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer