સીતાફળ ખાઈ લીધા બાદ ક્યારેય ના ફેકવા તેના બીજ, જાણો તેના ચમત્કારિક ફાયદાઓ વિશે..

આજ ની ભાગદોડ ભરેલી જિંદગીમાં મોટા શું બાળકો અને કિશોરો ને પણ થકાવટ થવા લાગે છે. તમને સીતાફળ ના સેવન થી નબળાઈ માં પણ આરામ મળશે. સીતાફળ ખાવાથી ગજબ ની એનર્જી મળે છે અને તેનાથી થકાવટ દુર થાય છે. જો તમારું મગજ બહુ વધારે ગરમ રહેતા હોય તો પણ સીતાફળ સાચું ફળ છે.

આ ફળ મગજને ઠંડક આપે છે. તેનાથી તમને માનસિક શાંતિ મળશે. મોટાભાગ ના લોકો ને સીતાફળ ખાવા ખુબ જ ગમતા હોય છે ને તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી પણ છે. પરંતુ, સીતાફળ ખાઈ ને આપણે તેના બીજ ગમે ત્યા ફેંકી દેતા હોઈએ છીએ.

પરંતુ શું તમે જાણો છો સીતાફળના બીજના ઘણા ચમત્કારિક ફાયદાઓ પણ છે. સીતાફળની અંદર બે પ્રકારના વિટામીન્સ વધારે રહેલા છે જે આપણી આંખો માટે ફાયદાકારક હોય છે, વિટામિન સી અને એ. સીતાફળના સેવનથી થોડી જ મિનિટોમાં શરીરમાં રહેલો થાક ઉતરવા લાગે છે.

સીતાફળને શરીફા પણ કહે છે. તેમાં એટલા ગુણ છે કે શરીર ના દરેક ભાગ ને તેનાથી ફાયદો મળે છે. આવો જાણીએ તેના ફાયદાઓ વિષે. સીતાફળના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે. સીતાફળના બીજ ની અંદર એંટીઓક્સિડ ગુણો અને વિટામિન સી વધારે માત્રામાં હોય છે.

આ બંને ગુણોના કારણે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સીતાફળના બીજને તડકે સૂકવી પછી તેને પીસીને ચૂર્ણ બનાવી રોજે સવારે એક ચમચી ચૂર્ણ ખાઈ લો. રોગપ્રતિકારક શક્તિ વધવા લાગશે. સીતાફળના બીજથી શરીરમાં વધતું શુગર કંટ્રોલમાં રાખી શકાય છે.

સાથે સાથે BP જેવી સમસ્યા પણ દૂર કરી શકે છે. રોજે એક ચમચી સીતાફળના બીજ નું ચૂર્ણ સવારે લેવાથી BP અને શુગર લેવલ નિયંત્રણમાં રાખે છે.  શરીરમાં થતી લોહીની ઉણપ એટલે કે, એનેમિયા જેવા રોગથી પણ રક્ષા કરે છે.

સીતાફળના બીજની અંદર રહેલું વિટામિન બી લોહીમાં થતી ઉણપ પૂરી કરવામાં મદદ કરે છે. વાળ સબંધિત બીમારી માટે પણ સીતાફળના બીજનો ઉપયોગ કરવામાં આવે છે.  સીતાફળના થોડા બીજ લેવા તેને એક દિવસ સૂકવી રાખવા અને પછી તેને બકરીના દૂધની અંદર થોડીવાર ઘસીને માથા પર લગાવવા, વાળ થોડા દિવસોમાં કાળા થવા લાગશે.

નિયમિત આ ઉપાય કરવાથી વાળ કાળા અને મજબૂત થઇ જશે, સાથે સાથે વાળનો અટકેલો ગ્રોથ પણ વધવા લાગશે.  સીતાફળના બીજની મદદથી કેન્સરની દવા પણ શોધાઈ રહી છે. આગળ સમય જતાં એ પણ શક્ય થઈ જશે અને સીતાફળના બીજની મદદથી કેન્સર નાબૂદ પણ થઈ જશે.

હાલમાં તેની દવા પૂર્ણ રૂપે તૈયાર નથી થઈ પણ તેના પર પ્રયોગ ચાલી રહ્યો છે. ઘણા વૈજ્ઞાનિકો કહે છે તે શક્ય થઈ શકે છે પણ 100% હજુ દવા તૈયાર નથી થઈ. હવે જ્યારે પણ સીતાફળનું સેવન કરો ત્યારે તેના બીજ ફેકવાના બદલે તેનો ઉપયોગ કરવાનુ ના ભૂલતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer