લક્ષ્મીજીની કૃપા મળે છે કઠોર પરિશ્રમથી, અને જાણો સાથે આચાર-વિચારનું મહત્વ

લક્ષ્મીજી કૃપા હોય તો જ ઘરમાં સુખ અને શાંતિ રહે છે. જે ઘરમાં પ્રેમ અને સમ્માન હોય તે ઘરમાં હંમેશા લક્ષ્મીજી નો વાસ રહે છે. વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ આપણા ઘરમાં કેટલીક વસ્તુઓ ક્યાં રાખવી જોઈએ ? ઘરમાં યોગ્ય સાફ સફાઈ કરવી જોઈએ ! જેવી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. કહેવાય છે કે, માતા લક્ષ્મીજી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરી દે છે. મા લક્ષ્મીજીની કૃપા મેળવવા કઠોર પરિશ્રમની સાથે સાથે આચાર-વિચાર અને રહેવાની રીતભાતમાં પણ કેટલાક ફેરફાર કરવા જોઈએ. આજે અમે તમને જણાવીશું કે લક્ષ્મીજી ને પ્રાસન્ન કરવા ક્યાં ક્યાં ઉપાયો કરવા જોઈએ..

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે, જે પુરૂષ પોતાની પત્નીનું અપમાન કરે છે અથવા તેને નોકરાનીની સમજે છે. દરેક લોકોની સામે તેની સાથે ખરાબ વ્યવહાર કરે છે, તે હંમેશા આર્થિક સંકટમાં રહે છે. જે સ્ત્રી પોતાના પતિ અંગે ખરાબ બોલે છે, લજ્જાનો ત્યાગ કરી અવળચંડાઈ કરે છે તેમના ઘરે લક્ષ્મીજી નો વાસ નથી રહેતો. ઘરમાં જો તૂટેલું દર્પણ(અરીસો)હોય તો તેમજ નકામો અને ભંગાર કે સામાન રાખવો ન જોઈએ.

  • જે વ્યક્તિ આળસુ હોય સૂર્યોદય પછી પણ સુતા રહે, તેમના ઘરમાં ક્યારેય લક્ષ્મી ટકતી નથી.
  • નોકરી-ધંધા થી મેળવેલ લક્ષ્મી માંથી ચાર ટકા રકમ દાન પુણ્ય તથા અન્ય માટે વાપરવી જોઈએ તો જ લક્ષ્મી રીજાય છે.
  • જે લોકો પોતાના માતા- પિતાનું વારંવાર અપમાન કરે છે ત્યાં લક્ષ્મી ક્યારેય ટકતી નથી.
  • જે લોકો વારંવાર જૂઠું બોલે છે અને બીજાને ખોટા ઠેરવે છે, તેવા લોકો પાસે લક્ષ્મી કદાપી હાથ ઉપર ટકતી નથી અને વધતી નથી.
  • જે સ્ત્રીનો વ્યવહાર કઠોર અને નિર્દય હોય છે અને જે ઘરમાં લડાઈ તકરાર કરે છે તે લક્ષ્મીથી વંચિત રહે છે.
  • જે સ્ત્રી કે પુરૂષ ચરિત્રહીન હોય છે અને ખરાબ પાપો આચરે છે. ત્યાં પણ લક્ષ્મી ટકી શક્તિ નથી.
  • જે લોકો પોતાના ઘરને અસ્તવ્યસ્ત રાખે છે તેમના ઘરથી લક્ષ્મીજી હંમેશા દૂર રહે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer