અયોધ્યાના રામ મંદિર માટે સોમનાથ જેવા ટ્રસ્ટની રચના થશે, આઠ કિલોમીટર ધર્મશાળા-હોટેલને નહિ મળે મંજૂરી

દરેક સમાચાર પર આજે અયોધ્યાના રામજી મંદિર ની જ ચર્ચા ચાલી રહી છે. રામ મંદિર અંગે સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી હવે મોટો સવાલ એ છે કે આ ટ્રસ્ટમાં કયા સભ્યો હશે. રામ મંદિરના નિર્માણ માટે રૂપિયા ક્યાંથી આવશે? રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ કેવી રીતે બનશે? સુપ્રીમ કોર્ટે રામ મંદિરના નિર્માણ માટે આગામી ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે હવે આગામી ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટ બનાવવાનું રહેશે. ટ્રસ્ટ બનાવવા માટે સૌથી પહેલા ટ્રસ્ટના સભ્યોના નામ નક્કી કરવામાં આવશે.

સોમનાથ મંદિર જેવા ટ્રસ્ટની રચના

મીડિયા જણાવ્યા પ્રમાણે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ગુજરાતના સોમનાથ મંદિર ટ્રસ્ટની જેમ ટ્રસ્ટ બનાવવામાં આવે તેવી શક્યતા છે. સોમનાથ મંદિર ટ્રસ્ટમાં 6 સભ્યો છે. જોકે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે બનાવનારા ટ્રસ્ટમાં 6થી વધુ સભ્યોનો સમાવેશ કરવામાં આવી શકે છે. વડાપ્રધાન કચેરીમાંથી એક અિધકારી અને રાજ્ય સરકારમાંથી એક અિધકારીની ટ્રસ્ટમાં નિમણૂક  થઈ શકે છે. આ ઉપરાંત સુપ્રીમના નિર્દેશ મુજબ નિર્મોહી અખાડાના એક સભ્યને સૃથાન અપાશે. ઉપરાંત મંદિરના મુખ્ય પૂજારીનો પણ ટ્રસ્ટમાં સમાવેશ થઈ શકે છે.

એક પણ રૂપિયો સરકાર પાસેથી લેશે નહિ

રામ મંદિરના નિર્માણ માટે ભંડોળના સંદર્ભમાં વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે આ માટે સરકાર પાસેથી એક પણ રૂપિયાનું ભંડોળ લેવામાં નહીં આવે. મંદિરનું નિર્માણ હિન્દુ સમાજ દ્વારા દાનમાં અપાયેલા રૂપિયાથી જ કરાશે.મંદિર નિર્માણ માટે વિહિપે હિન્દુ સમાજ પાસેથી ભંડોળ એકત્ર કર્યું હતું. આ ભંડોળ વિહિપ મંદિર માટે રચાનારા ટ્રસ્ટને આપશે. જોકે, આ ભંડોળ કેટલું છે તેનો વિહિપે ખુલાસો કર્યો નથી. સૂત્રો મુજબ રૂ. 500 કરોડનું બજેટ રાજ્ય સરકારનું અયોધ્યા પુન:નિર્માણ માટેનું છે. એવામાં મંદિર નિર્માણ માટે ઓછામાં ઓછા રૂ. 100 કરોડનું બજેટ બની શકે છે.

અનેક સંગઠનો ભજવશે ખાસ ભૂમિકા

રામ મંદિર સમયે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, રામ જન્મભૂમિ ન્યાસ  સહિત અનેક સંગઠનોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આથી આ સંગઠનોને પણ ટ્રસ્ટમાં સૃથાન આપવામાં આવે તેવી સંભાવના છે. જોકે, ટ્રસ્ટમાં કોનો સમાવેશ કરાશે તે અંગે અંતિમ નિર્ણય વડાપ્રધાન કચેરી દ્વારા જ લેવામાં આવશે. જાણવા મે છે કે ટ્રસ્ટની રચના અને તેની નોંધણીની જવાબદારી  સંસ્કૃતિ મંત્રાલયને સોંપાઈ શકે છે. ટ્રસ્ટની નોંધણી દિલ્હી અથવા લખનઉમાં થઈ શકે છે. સંસ્કૃતિ મંત્રાલયની દેખરેખમાં જ ટ્રસ્ટ, રામ મંદિર નિર્માણ કાર્ય આગળ વધશે તેમ મનાય છે.

મંદિરનું પુન: નિર્માણ કરવામાં આવશે

મીડિયા નું કહેવું છે કે રામ મંદિર નિર્માણ માટે માત્ર 67 એકર અધિગ્રહિત જમીન પર જ નિર્માણ કાર્ય નહીં થાય, પરંતુ સંપૂર્ણ અયોધ્યા નગરીનું પુન:નિર્માણ અને પુનર્વિકાસ કરાશે. તેના માટે 100 થી વધુ વર્ષ જૂના મંદિરો સિવાય બાકીની સંપત્તિઓનું પુન:નિર્માણ થશે અને બધા રસ્તા ને પહોળા બનાવવામાં આવશે. અયોધ્યામાં હનુમાનગઢીને કેન્દ્ર માનીને 12 કિલોમીટરના દાયરામાં અયોધ્યાનું પુન:નિર્માણ કરવાની સરકારની યોજના છે. આ યોજના મુજબ અયોધ્યામાં મંદિર અને મુખ્ય તીર્થ સ્થળોના 8 કિ.મી. દાયરામાં કોઈપણ ધર્મશાળા અથવા હોટેલ બનાવવાની મંજૂરી આપવામાં આવશે નહિ. અયોધ્યાના રામ મંદિરના મૂળ રૂપને બનાવી રાખવામાં આવશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer