દરેક લોકોના જીવનમાં રાશિનું ખુબ જ મહત્વ રહેલું છે. દરેક રાશિ ગ્રહ ઉપર આધાર રાખે છે. જો કોઈ વ્યક્તિની રાશિમાં ગ્રહની દિશા યોગ્ય ન હોય તો એને પરેશાનીનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરનું વિશેષ મહત્વ રહેલું છે. જ્યારે કોઈ ગ્રહ એક રાશિને છોડીને બીજી રાશિમાં સ્થાન પરિવર્તન કરે અને આ પ્રભાવ તમામ રાશિઓ પર પડે છે. વર્ષ 2020 ના શરૂઆતના દિવસોમાં શનિ પોતાની રાશિ બદલશે.
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/11/A2-23.jpg)
શનિ 24 જાન્યુઆરી 2020 માં ધનુ રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિનું આ રાશિ પરિવર્તન વર્ષ 2020 માં કેટલીક રાશિઓ પરથી શનિની અશુભ છાયા દૂર થઇ જશે અને કેટલીક રાશિ પર આનો પ્રકોપ રહેશે, તો ચાલો જાણી લઈએ એ રાશિઓ વિશે વિસ્તારમાં કે કઈ રાશીનું જીવન બદલવાનું છે..
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/11/vrushbh-7.png)
વૃષભ રાશિ
શનિનું મકર રાશિમાં આ રાશિ શનિ ઢૈય્યાની અસર સાવ ખતમ કરી નાખશે. તમને સારા સમાચાર મળશે. સમજો તમારો ખરાબ સમય ગયો. તમને જોઈતી મદદ મળી જશે અટકેલા કામ થઈ જશે.
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/11/dhanu-6.png)
ધનુ રાશિ
શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં લગભગ અઢી વર્ષનો સમય લે છે. વર્ષ 2020માં શનિ ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. આવામાં ધનુ રાશિવાળાની બીજા ચરણની સાઢેસાતી ખતમ થઈ જશે. ત્રીજા ચરણની સાઢેસાતી ઉતરી જશે. આનાથી ધનુ રાશિવાળાની પરેશાનીઓ ઓછી થશે.
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/11/kanya-rashi-6.png)
કન્યા રાશિ
આ રાશિ પર શનિ ઢૈય્યા સમાપ્ત થઈ જશે. આ જ કારણે તમામ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળી જશે.
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/11/vruschik-5.png)
વૃશ્ચિક રાશિ
શનિનું મકર રાશિમાં આવવાથી વૃશ્ચિક રાશિવાળા પર હવે શનિની ત્રાંસી નજર નહી રહે. વર્ષ 2020માં તેમને કેટલાક સારા સમાચાર મળશે.