હિંદુ ધર્મમાં વૈકુંઠ ચતુર્દશી ની ખુબ જ માન્યતા છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે છે. દેવઉઠની એકાદશી પર ભગવાન વિષ્ણુ ચાર મહિનાની ઊંઘમાંથી જાગે છે. એ પછી આવનારી વૈકુંઠ ચતુર્દશીના રોજ લોકો ભગવાન વિષ્ણુ અને શિવ ઈ પૂજા કરે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે.
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/11/a1-6.jpg)
શું છે વૈકુંઠ ચતુર્દશીનું મહત્વ
શાસ્ત્રોનું માનવામાં આવે તો વૈકુંઠ ચતુર્દશીના રોજ શરીરનો ત્યાગ કરનારા વ્યક્તિ ને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહિ જે વ્યક્તિ આ દિવસે ભગવાન શિવ અને વિષ્ણુની ઉપાસના કરે છે. એના જીવનના દરેક પાપ નષ્ટ થઇ જાય છે. પુરાણો અનુસાર વૈકુંઠ ચતુર્દશીના દિવસે જ ભગવાન શિવે ભગવાન વિષ્ણુ ને સુદર્શન ચક્ર આપ્યું હતું.
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/11/A3.jpg)
ક્યારે છે વૈકુંઠ ચતુર્દશી
વૈકુંઠ ચતુર્દશી ૨૦૧૯ તિથિ- ૧૦ નવેમ્બર ૨૦૧૯ વૈકુંઠ ચતુર્દશી ૨૦૧૯
વૈકુંઠ ચતુર્દશી નિશીતાકાલ- રાત્રે ૧૧ વાગે અને ૩૯ મિનીટ થી ૧૨ વાગ્યા ૩૨ મિનીટ સુધી (૧૧ નવેમ્બર ૨૦૧૯)
ચતુર્દશી તિથિ પ્રારંભ – સાંજે ૪ વાગે ૩૩ મિનીટ થી (૧૦ નવેમ્બર ૨૦૧૯)
ચતુર્દશી તિથિ સમાપ્ત – પછી ના દિવસે સાંજે ૬ વાગ્યા ને 2 મિનીટ સુધી (૧૧ નવેમ્બર ૨૦૧૯)
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/11/A2-1.jpg)
વૈકુંઠ ચતુર્દશી પૂજા વિધિ
- આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિક ક્રિયા કરીને સ્વસ્થ અને સાફ વસ્ત્ર ધારણ કરવા.
- એક સાફ ચૌકી પર શ્રી વિષ્ણુ ની પ્રતિમા અથવા એના ચિત્ર ને સ્થાપિત કરવી.
- એ પછી શ્રી વિષ્ણુ ને કમળના ફૂલ અર્પિત કરવા.
- ભગવાન વિષ્ણુ ની કોઈ પણ પૂજા તુલસી વગર ફળદાયી નથી થતી તો એટલા માટે એને તુલસી નું માંજર પણ અર્પિત કરવા.
- એ પછી ભગવાન વિષ્ણુ ના મંત્ર અને શ્રી સૂક્ત નો પાઠ કરવો.
- આ દિવસે વૈકુંઠ ચતુર્દશીની કથા અવશ્ય સાંભળવી.
- કથા સાંભળી ને પછી ભગવાન વિષ્ણુ ની ધૂપ અને દીવા થી આરતી ઉતારવી. એને ચંદન અર્પિત કરવું.
- આરતી ઉતારી ને પછી ભગવાન વિષ્ણુ ને ભોગ લગાવવો.
- એ પછી આ પ્રસાદ દરેક લોકો ને વહેચી દેવો.
![](http://www.suvichardhara.com/wp-content/uploads/2019/11/A4-2.jpg)