6-7 મહિનાની અંદર આવી શકે છે કોરોનાની ત્રીજી ભયંકર લહેર, તેનાથી બચવા નિષ્ણાતોએ આપ્યા આ ઉપાય

ભારત કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે, નિષ્ણાતો હવે ત્રીજી લહેરના આવવાની શક્યતા પણ વ્યક્ત કરવા લાગ્યા છે. ત્રીજી લહેર આવશે એ વાતને અત્યારે તમામ નિષ્ણાતો માનીને ચાલી રહ્યા છે, પરંતુ ક્યાં સુધી તે વિશે અત્યારે કંઇ પણ ના કહી શકાય.

કેન્દ્ર સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર પ્રોફેસર વિજય રાઘવને કહ્યું કે, બીજી લહેર બાદ ત્રીજી લહેર પણ આવશે. કોરોના વાયરસના વેરિએન્ટ સતત બદલી રહ્યા છે. આ કારણે ત્રીજી લહેર માટે પણ તૈયાર રહેવું હશે. વેક્સિન પ્રભાવશાળી છે, પરંતુ વૈજ્ઞાનિકોને આને અપગ્રેડ કરવા પર પણ કામ કરી રહી છે.

ત્રીજી લહેર ક્યાં સુધી આવશે? તે વિશે ડૉ. ગિરિધર બાબૂ કહે છે, ‘આ ઠંડીમાં આવે તેવી શક્યતા છે. નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં. આ કારણે આ સંક્રમણથી જેમને સૌથી વધારે ખતરો છે, તેમને જલદીથી જલદી વેક્સિનેટ કરવાની જરૂરિયાત છે.”

તેમણે કહ્યું કે, “આવામાં જે સંક્રમિત થઈ રહ્યા છે તેમાં ઓછામાં ઓછા 6 મહિના સુધી વાયરસની વિરુદ્ધ ઇમ્યુનિટી રહેશે, પરંતુ ત્યારબાદ ઇમ્યુનિટી નબળી પડી શકે છે. આ કારણે આપણે વેક્સિનેશન પ્રોગ્રામમાં ઝડપ લાવવી પડશે. 6 મહિનાની અંદર હાઈ રિસ્ક પોપ્યુલેશનને વેક્સિનેટ કરવાની રહેશે જેથી ત્રીજી લહેર બીજી લહેર જેટલી ભયાનક ના હોય.”

Leave a reply:

Your email address will not be published.

Site Footer