એક તરફ સરકાર દ્વારા વિવિધ જગ્યાઓ પર ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડ રજૂ કરવા અંગે જણાવવામાં આવે છે ત્યારે મહત્વની કામગીરીમાં ફકત આધારકાર્ડ સિવાયના પુરાવા નહીં ચાલે વિશે જાણીને લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે.આધાર કાર્ડ વેક્સિન રજિસ્ટ્રેશન માટે આવશ્યક ફોટો ઓળખ પત્રોમાંનું એક છે. પરંતુ અનેક અન્ય દસ્તાવેજ છે જેમનો ઉપયોગ આધાર કાર્ડ ન હોય તો કરી શકાય છે.
પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, સરકારનું આરોગ્ય વીમા કાર્ડ, પેન્શન દસ્તાવેજ પણ વેક્સિન રજિસ્ટ્રેશન માટે માન્ય છે. રિપોર્ટ્સ અનુસાર ફકત આધારકાર્ડને રસીકરણ દરમિયાન પુરાવા તરીકે માન્ય રાખવામાં આવે છે.
કોરોના મહામારી દરમ્યાન સેવાઓ સંબંધિત દરેક પ્રક્રિયાઓ માટે આધાર(Aadhaar)ની માંગણી કરાય છે. UIDAI નું સ્પષ્ટ રીતે કહેવું છે કે આ કોરોના મહામારી (Coronavirus) માં દરેકને જરૂરી સુવિધા મળવી ખુબ જરૂરી છે, ભલે તેની પાસે આધાર ન હોય.
UIDAI એ કહ્યું કે, જે લોકો પાસે આધાર કાર્ડ નથી અથવા તેને ઓનલાઇન વેરિફિકેશન કરવામાં મુશ્કેલી આવી રહી છે. રસીકરણ , RTPCR ટેસ્ટ , REMDESIVIR ઇન્જેક્શન સહિતના સુવિધા માટે જાણે આધાર ફરજીયાત બનાવી દેવાયું છે
આધાર કાર્ડ એ રસી નોંધણી માટે જરૂરી ફોટો-ઓળખ કાર્ડમાંથી એક છે પરંતુ બીજા ઘણા દસ્તાવેજો એવા છે કે જેની પાસે જો આધાર કાર્ડ ન હોય તો તેનો ઉપયોગ કરી શકાય છે.
જો કોઈ અન્ય કારણોસર કોઈ વ્યક્તિ આધાર નથી તો તેને આધાર કાયદા મુજબ આવશ્યક સેવાઓ આપવાનો ઇનકાર ન કરી શકાય નહિ. રસી નોંધણી માટે પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકારનું આરોગ્ય વીમા કાર્ડ, પેન્શન દસ્તાવેજ પણ માન્ય માનવામાં આવે છે.